જ્ઞાન - Knowledge
વિસ્મૃત વસ્તુઓની સ્મૃતિ જ જ્ઞાન છે.
જ્ઞાન માનવ જીવનનો સાર છે.
જ્ઞાનનો સંદેશ આપવો એ જ દક્ષિણા છે.
જ્ઞાનનો અગ્નિ સળગતા જ કર્મ ભસ્મ થઇ જાય છે.
જે જ્ઞાન આચરણમાં ઊતર્યું નથી તે ભારરૂપ છે.
જ્ઞાનનું અંતિમ લક્ષ્ય ચરિત્ર નિર્માણ હોવું જોઈએ.
જ્ઞાન સંઘરશોતો ઘટશે, વેહેચશો તો વધશે.
જનનીની ગોદમાં અને ગુરુની છાયામાં જે જ્ઞાન અને આનંદ મળે છે, તે વેદોમાં ગોથા મારવા છતાં મળતું નથી.
આપનું જ્ઞાન અસંખ્ય, અપરિમેય માનવ-ચિત્તના સંચિત વિચાર અને અનુભવનો સરવાળો છે.
જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે.
વિચાર અને વિકાર એક વ્રુક્ષ નાં જ બે ફળ છે,
વિચાર ની દિશા બદલો, વિકાર ખુદ ભાગી જશે…!!!
જે માણસને પોતાની જાતનું સંપૂર્ણ જ્ઞાન ના હોય તે બીજાને સાચી રીતે સમજી ના શકે.
જ્ઞાની માનવીને જગત લોભાવી શકાતું નથી, માછલીઓની કુદકુદથી સાગર છલકતો નથી.
ચોઘડિયા પણ ત્યારે શરમાય જાય છે
જયારે,
તારો બહાર નીકળવાનો સમય થાય છે.
ઝીંદગી વિડીયો ગેમ જેવી છે, એક લેવલ માંડમાંડ પાર કરીએ ત્યાં આગળ નું લેવલ તેના કરતા અઘરું આવી જ જાય....
એની કોઇ વૉરંટી કે ગૅરંટી નથી,
છતાં,
વર્ષોથી પ્રેમની કિંમત ઘટી નથી.
0 Comments